Teneligliptin
Teneligliptin વિશેની માહિતી
Teneligliptin ઉપયોગ
પ્રકાર ૨ ડાયાબિટીસ ની સારવારમાં Teneligliptin નો ઉપયોગ કરાય છે
Teneligliptin કેવી રીતે કાર્ય કરે
Teneligliptin એ લોહીમાં ગ્લુકોઝને ઓછું કરવા માટે સ્વાદુપિંડ દ્વારા રીલીઝ થતાં ઈન્સ્યુલિનના પ્રમાણને વધારે છે.
Teneligliptin ની સામાન્ય આડઅસરો
માથાનો દુખાવો, હાઇપૉગ્લીકયેમિયા (ફૉલ ઇન બ્લડ સુગર લેવેલ) ઇન કૉંબિનેશન વિત ઇન્સુલિન ઓર સલફ્ફોનાઇલુરા, ઉપલા શ્વસન તંત્રમાં ચેપ, નાસોફેરિન્જાઇટિસ
Teneligliptin માટે ઉપલબ્ધ દવા
Teneligliptin માટે નિષ્ણાત સલાહ
- જો તમને હૃદય રોગ, યકૃતનો રોગ, કફોત્પાદક કે અધિવૃક્ક ગ્રંથિનો વિકાર હોય, નબળી પોષણ વિષયક સ્થિતિ, ભૂખમરો અથવા ભોજન લેવામાં અનિયમિતતા, આરોગ્યની નબળી સ્થિતિ, સ્નાયુની અત્યંત હિલચાલ, અતિશય પ્રમાણમાં દારૂ પીવો, ગુદામાં અવરોધના ઈતિહાસ સાથે પેટમાં શસ્ત્રક્રિયાનો ઈતિહાસ અથવા લોહીમાં પોટેશિયમની નીચી સપાટી હોય તો તમારા ડોકટરને જણાવો.
- કોઈપણ પ્રકારની એન્ટિબાયોટિક દવાઓની સાથે ટેનેલિગ્લિપ્ટિન લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લો, કેમ કે તેનાથી ધ્રુજારી, અસ્વસ્થતા કે ચિંતા, પરસેવો, ઠંડી અને ભેજયુક્તતા, ચીડિયાપણું, મુંઝવણ, ઉબકા વગેરે જેવા લક્ષણો સાથે લોહીમાં ગ્લુકોઝની સપાટી નીચી જાય (હાઈપોગ્લાયસેમિયા).
- ટેનેલિગ્લિપ્ટિન લો તે દરમિયાન લોહીમાં ગ્લુકોઝ, પોટેશિયમ, ઈલેક્ટ્રોલાઈટ, HbA1c અને લિપિડ પ્રોફાઈલ માટે તમારા પર નિયમિત દેખરેખ રાખવામાં આવશે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો ટેનેલિગ્લિપ્ટિન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.
- લોહીમાં સાકરની નીચી સપાટી હોય (હાયપોગ્લાયસેમિયા) તો ન લેવી.
- જો તમે પ્રકાર 1 ડાયાબિટીસ, તીવ્ર કેટોસિસ (લોહીમાં કેટોન્સની ઊંચી સપાટીથી સ્થિતિ અંકિત હોય), ડાયાબિટીક કોમા અથવા ડાયાબિટીક કોમાનો ઈતિહાસ હોય તો દવા ન લેવી.
- જો તીવ્ર ચેપ, શસ્ત્રક્રિયા, તીવ્ર ઇજા હોય તો તે ન લેવી.