Piracetam
Piracetam વિશેની માહિતી
Piracetam ઉપયોગ
અલ્ઝાઇમરનો રોગ (મગજનો વિકાર જે યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતાને અસર કરે છે), સ્ટ્રોક (મગજમાં લોહીમાં ઘટેલો પુરવઠો), પાર્કિન્સનના રોગમાં ઉન્માદ (ચેતાતંત્રનો વિકાર જેનાથી હલન-ચલન અને સંતુલનમાં સમસ્યાઓ), ઉંમર સંબંધિત યાદશક્તિ ગુમાવવી અને માથામાં ઇજા ની સારવારમાં Piracetam નો ઉપયોગ કરાય છે
Piracetam કેવી રીતે કાર્ય કરે
પેરાસેટમ, ગાબા (ગામા એમિનો બુટાયરિક એસિડ) એનાલૉગ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ ઓક્સિજનની ઉણપની સામે મગજ અથવા ચેતાતંત્રની રક્ષા કરવાનું કામ કરે છે અને આ ચેતા કોષરસપટલ પર વિભિન્ન ચેનલોને પણ અસર કરે છે.
Piracetam ની સામાન્ય આડઅસરો
ગભરામણ, વજનમાં વધારો, સ્વૈચ્છિક હલન-ચલનમાં અસાધરણતા
Piracetam માટે ઉપલબ્ધ દવા
Piracetam માટે નિષ્ણાત સલાહ
- જો તમે પિરાસેટમ, પાયરોલિડોન ડેરિવેટિવ્ઝ અથવા ટીકડી/સોલ્યુશનના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો પિરાસેટમ ટીકડી/મોંથી લેવાનું સોલ્યુશન લેવું નહીં.
- જો તમને કિડનીની ગંભીર સમસ્યા હોય; બ્રેઈન હેમરેજ અથવા રક્તસ્ત્રાવની સમસ્યા; હંટિંગ્ટનનો રોગ (ન્યૂરોડીજનરેટિવ જીનેટિક વિકાર જે સ્નાયુના સંકલનને અસર કરે છે અને વર્તણૂકીય લક્ષણો તરફ લઈ જાય છે) હોય તો પિરાસેટમ લેવી નહીં.
- જો તમે સગર્ભા કે સ્તનપાન કરાવતાં હોવ તો પિરાસેટમનો ઉપયોગ નિવારો.
- જ્યાં સુધી તમારા ડોકટર તેમ કરવાનું તમને જણાવે નહીં ત્યાં સુધી પિરાસેટમ ટીકડી/સોલ્યુશન લેવાનું બંધ કરવું નહીં.
- પિરાસેટમ લીધા પછી જો તમને ઘેન, ગભરાટ અને હતાશા જેવી આડઅસરોનો અનુભવ થાય તો ડ્રાઈવ કરવું નહીં કે ભારે મશીનરી ચલાવવી નહીં.