Pioglitazone
Pioglitazone વિશેની માહિતી
Pioglitazone ઉપયોગ
પ્રકાર ૨ ડાયાબિટીસ ની સારવારમાં Pioglitazone નો ઉપયોગ કરાય છે
Pioglitazone કેવી રીતે કાર્ય કરે
Pioglitazone એ લોહીમાં સાકરના સ્તરને ઓછું કરવા માટે શરીરની ઈન્સ્યુલિનનો ઉપયોગ કરવાની ક્ષમતા પુન:સ્થાપિત કરે છે. ઉપરાંત, આંતરડામાં ખોરાકમાંથી શોષણ થતાં ગ્લુકોઝના પ્રમાણને ઘટાડે છે અને યકૃતમાંથી ગ્લુકોઝના ઉત્પાદનને ઘટાડે છે.
Pioglitazone ની સામાન્ય આડઅસરો
વજનમાં વધારો, ઝાંખી દ્રષ્ટિ, શ્વસનતંત્રમાં ચેપ, જડ થઈ જવું, હાડકાનું ફ્રેક્ચર
Pioglitazone માટે ઉપલબ્ધ દવા
Pioglitazone માટે નિષ્ણાત સલાહ
- એકલા યોગ્ય આહાર આયોજન થી અથવા કસરત સાથે આહાર આયોજનથી પ્રકાર 2 ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. જો તમને ડાયાબિટીસ હોય ત્યારે, તમે એન્ટિડાયાબિટીક દવાઓ લઇ રહ્યા હોવ તો પણ આયોજીત આહાર અને કસરત હંમેશા મહત્વપૂર્ણ છે.
- જો તમને ભૂતકાળમાં હ્રદયની નિષ્ફળતા થઇ હોય તો તમારા ડોકટરને જણાવો.
- જો તમને યકૃતનો રોગ હોય તો તમારા ડોકટરને જણાવો.
- જો મૂત્રાશયનું કેન્સર હોય અથવા ક્યારેય થયું હોય તો તમારા ડોકટરને જણાવો.
- Pioglitazone એ પ્રકાર 1 ડાયાબિટીસ હોય તેવા દર્દીઓને મદદ કરતી નથી.