Misoprostol
Misoprostol વિશેની માહિતી
Misoprostol ઉપયોગ
તબીબી ગર્ભપાત અને પ્રસૂતિ પછી રક્તસ્ત્રાવ માં Misoprostol નો ઉપયોગ કરાય છે
Misoprostol કેવી રીતે કાર્ય કરે
Misoprostol એ ગર્ભાશયના સંકોચનને વધારે છે, જે ગર્ભપાતનું કારણ છે. તે ગર્ભાશયના નબળા સંકોચનને કારણે પ્રસૂતિ પછીના રક્તસ્ત્રાવને પણ અટકાવે છે.
Misoprostol ની સામાન્ય આડઅસરો
ભારે માસિક , ઊલટી, ઉબકા, ગર્ભાશયમાં સંકોચન, અતિસાર, પેટમાં મરોડ
Misoprostol માટે ઉપલબ્ધ દવા
Misoprostol માટે નિષ્ણાત સલાહ
- ડોકટરે લખી આપ્યા પ્રમાણે જ Misoprostol લેવી, કારણ કે કેટલાંક કેસોમાં, Misoprostol થી થયેલ કસૂવાવડ અધુરી રહેવાની શક્યતા રહે છે, જેના પરિણામે તબીબી ગૂંચવણો પેદા થાય, જેનાથી હોસ્પિટલમાં દાખલ કરવાનું થાય, શસ્ત્રક્રિયા કરાવવી પડી શકે અને વંધ્યત્વની શક્યતા ઊભી થાય.
- જો અતિશય રક્તસ્ત્રાવ થાય તો તરત ડોકટરને જણાવો.
- જો તમે મોં દ્વારા Misoprostol લેતાં હોવ તો, તે ખોરાક સાથે લેવું વધું સારું છે અને એન્ટાસિડ ન લેવી, જેમાં તેની સાથે મેગ્નેશિયમ રહેલ છે. યોગ્ય એન્ટાસિડ પસંદ કરવામાં મદદ માટે તમારા ડોકટરને જણાવો.