Metoprolol Succinate
Metoprolol Succinate વિશેની માહિતી
Metoprolol Succinate ઉપયોગ
એન્જાઇના (છાતીમાં દુખાવો), હ્રદયની નિષ્ફળતા અને લોહીનું વધેલું દબાણ ની સારવારમાં Metoprolol Succinate નો ઉપયોગ કરાય છે
Metoprolol Succinate કેવી રીતે કાર્ય કરે
આ રક્તવાહિનીઓને શિથિલ કરીને અને રક્તપ્રવાહને સુધારીને અને રક્તદાબને ઓછુ કરવાર માટે હ્રદય ધબકારાની ગતિને ધીમી કરીને કામ કરે છે. માયોકાર્ડિયલ ઇન્ફાર્કશનમાં મેટોપ્રોલોલનો આરંભિક હસ્તક્ષેપ અને ઇન્ફાકર્ટના માપને અને વેન્ટિકુલર ફાઈબ્રિલેશનની ઘટનાને ઓછી કરે છે.
Metoprolol Succinate ની સામાન્ય આડઅસરો
પેટમાં દુઃખાવો, હાથપગ ઠંડા પડવા, ઉબકા, માથાનો દુખાવો, થકાવટ, ચક્કર ચડવા, હ્રદયના ધબકારા અસાધારણ રીતે ધીમા થવાં, શ્વાસની તકલીફ
Metoprolol Succinate માટે ઉપલબ્ધ દવા
Metoprolol Succinate માટે નિષ્ણાત સલાહ
જો તમે મેટોપ્રોલોલ અથવા ટીકડીના અન્ય કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો મેટોપ્રોલોલ લેવી નહીં. પ્રથમ થોડાક દિવસોમાં દવાથી ચક્કર આવી શકે. આ દવાનો ઉપયોગ કર્યા પછી જો તમને ચક્કર કે થાક લાગે તો ડ્રાઈવ કરવું નહીં કે કોઈપણ સાધન કે મશીનોનો ઉપયોગ કરવો નહીં.
- ખાસ કરીને ઈસ્કેમિક હૃદયના રોગમાં અચાનક બંધ કરવાનું નિવારો.
- જો તમે લોહીમાં દબાણને નિયંત્રિત કરવાની દવા લઈ રહ્યા હોવ, તો 1 અઠવાડિયા પછી તમારા લોહીમાં દબાણને તપાસો અને તેમાં સુધારો ના થાય તો તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો દવા લેતાં પહેલાં તમારા ડોકટરને જણાવો.
- દવા ડાયાબિટીસમાં લોહીમાં ઓછા સાકરના લક્ષણોને છૂપાવી શકે છે. જો તમે ડાયાબિટીક હોવ તો સાવધાન રહેવું.