Levocetirizine
Levocetirizine વિશેની માહિતી
Levocetirizine ઉપયોગ
એલર્જીક વિકાર ની સારવારમાં Levocetirizine નો ઉપયોગ કરાય છે
Levocetirizine કેવી રીતે કાર્ય કરે
Levocetirizine એ જમાવ, ખંજવાળ અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.
Levocetirizine ની સામાન્ય આડઅસરો
ઘેન, થકાવટ, સૂકું મોં, માથાનો દુખાવો
Levocetirizine માટે ઉપલબ્ધ દવા
Levocetirizine માટે નિષ્ણાત સલાહ
- વયોવૃદ્ધ વ્યક્તિમાં લેવોસેટ્રિઝિનનો સાવધાનીથી ઉપયોગ કરવો; તેઓ તેની અસરો પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકશે.
- રાત્રે સૂતી વખતે લેવી ઉત્તમ છે કેમ કે તે તમને સુસ્ત બનાવી શકશે.
- જો તમે લેવોસેટ્રિઝિન પ્રત્યે એલર્જીક (અતિસંવેદનશીલતા) હોવ તો લેવોસેટ્રિઝિન લેવી નહીં.
- લેવોસેટ્રિઝિન સાથે વિશેષ સંભાળ રાખવી અને તમારા ડોકટરની સલાહને અનુસરો : જો તમને વાઇ હોય અથવા તાણ હોવાનું કોઇપણ જોખમ હોય. જો તમે કિડનીની નિષ્ફળતાથી પીડાતા હોવ, કારણકે તમને ઓછા ડોઝની જરૂર પડી શકે.
- જો તમે હતાશા વિરોધી જેવી દવાઓ; ચિંતા, માનસિક બિમારી કે આંચકી માટેની દવાઓ; રિટોનાવિર; ઘેનની દવા; ઉંઘવાની ટીકડી; થીઓફીલાઇન; અને શાંત પાડે એવી દવા લઇ રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો આ દવા લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- લેવોસેટ્રિઝિનથી સુસ્તી આવી શકે છે. લેવોસેટ્રિઝિન દવા લો ત્યારે જોખમી કાર્યો કરવાં નહીં જેમાં સંપૂર્ણ માનસિક સાવધાની જરૂરી હોય જેમ કે ડ્રાઇવિંગ કે મશીનરી ચલાવવી.
- લેવોસેટ્રિઝિન લેવા દરમિયાન દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે છે.