Donepezil
Donepezil વિશેની માહિતી
Donepezil ઉપયોગ
અલ્ઝાઇમરનો રોગ (મગજનો વિકાર જે યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતાને અસર કરે છે) અને પાર્કિન્સનના રોગમાં ઉન્માદ (ચેતાતંત્રનો વિકાર જેનાથી હલન-ચલન અને સંતુલનમાં સમસ્યાઓ) ની સારવારમાં Donepezil નો ઉપયોગ કરાય છે
Donepezil કેવી રીતે કાર્ય કરે
Donepezil એ મગજમાં એસીટીલકોલાઈન એક રસાયણને ઝડપથી તૂટતા અટકાવીને કાર્ય કરે છે. એસીટીલકોલાઈન ચેતા દ્વારા સિગ્નલોને મોકલવામાં મહત્વપૂર્ણ છે, આ એક પ્રક્રિયા છે, જે અલ્ઝેઈમરના રોગમાં તૂટે છે.
Donepezil ની સામાન્ય આડઅસરો
ઉબકા, ઊલટી, ભૂખમાં ઘટાડો, થકાવટ, અનિદ્રા, અતિસાર, સ્નાયુમાં ખેંચાણ
Donepezil માટે ઉપલબ્ધ દવા
Donepezil માટે નિષ્ણાત સલાહ
- જો તમે ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડ કે આ દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડ લેવી નહીં.
- જો તમે સ્તનપાન કરાવતાં હોવ તો ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરવાનું નિવારો.
- દર્દીઓ નીચેની રોગની સ્થિતિઓનો ઇતિહાસ ધરાવતાં હોય તેવા કેસમાં ડોકટરની સલાહ ધ્યાનમાં લેવી જોઇએ : પેટ કે નાના આંતરડાના ઉપલા ભાગમાં અલ્સર; આંચકી (તાણ) અથવા વાઇ; હ્રદયની સ્થિતિ (હ્રદયના અનિયમિત કે બહુ ધીમા ધબકારા); અસ્થમા કે ફેફસાની લાંબા સમયથી રોગ; યકૃતની સમસ્યાઓ કે હેપટાઇટિસ; પેશાબ કે કિડનીનો હળવો રોગ.
- જો તમે સગર્ભ હોવ તો ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરવો નહીં.
- 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોમાં ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કરવો નહીં.
- ડોનેપેઝિલ હાઇડ્રોક્લોરાઇડને દારૂ સાથે લેવી નહીં કેમ કે દારૂ તેની અસર બદલી શકે.
- ડ્રાઇવ કરવું નહીં કે ભારે મશીન ચલાવવા નહીં.